સ્વભાવ અને લગ્ન જીવન

“શ્રી નાથજી સત્ય છે”

સ્વભાવ અને લગ્ન જીવન

svabhav blog image

ગુજરાતીઑ મા ઍક જુનો  મુહાવરો ખુબ બોલાય છે…”લગ્ન ઍટલે લાકડા નો લાડુ,  ખાય એ  પણ પસ્તાય  અને  ના ખાય એ  પણ પસ્તાય” હું  તમને ચોક્કસ કહી શકું  કે એ કહેવત કોઈ  લગ્નજીવન થી દુઃખી થયેલ વ્યક્તિ એ જ  લખી હશે. જો લગ્ન સંસ્થા ના હોય તો આ સમાજ સંસ્થા પણ ના જ હોય.

લગ્ન કર્યા પછી જીવનસાથીને પ્રેમ થી અપનાવી લઈને એ લગ્ન પ્રેમ થી જીવવુ એ ખૂબ જ ઇંપૉર્ટેંટ છે . પણ તમે જોશો કે સમાજમાં  અને આપણી આસપાસ પણ ઘણાં લોકો  લગ્ન જીવન ખેંચતાં હોય,બોજ ગણતા હોય,કે નીભાવતા હોય છે.

મોટાભાગે સમસ્યા એ હોય  કે પાર્ટનર્સ મા મનમેળ નથી  હોતો,  પણ હૂ કહીશ કે એકજ  મા ના બે બાળકો મા પણ મતભેદ નથી હોતા? તમારા અને  તમારા મિત્ર મા મતભેદ નથી હોતા? પેરંટસ સાથે મતભેદ નથી થતા? હું  પૂછુ છું કે તમેં  તમારા પડછાયા સાથે લગ્ન કર્યા છે? કે તમે કહો છો કે મતભેદ ના હોય? મતભેદ, અલગ વિચારો, નિરાળી પસંદ એ  પણ લગ્ન જીવન નો ઍક ભાગ છે, . આ મતભેદ કે આ અલગતા ને આપણી માં ઉપર  હાવી ના થવા દેવાય. જો મતભેદ આપનાં મન  ઉપર હાવી થાય તો વાત વણસી જાય, સંબધ મા દોષારોપણ, ઝગડા , એકબીજા  ને અવોઇડ કરવા,નસીબ નો વાંક કાઢવો કે માતા-પિતા નો વાંક કાઢવો, અને એનાથીય આગળ, સૌથી વધુ નુકશાનકારક પગલું, છુટાછેડા લેવા જેવી હદ સુધી ની પરિસ્થિતિ સર્જાય છે.

આ બધી વાત બગડે ઍમા જવાબદાર છે સ્વભાવ.

ઘણા લોકો ફૅમિલી ને ઇંપૉર્ટેન્સ આપે છે અને જીવનસાથી ને અવોઇડ  કરે છે.

વધારે પડતા મહત્વાકાંક્ષી લોકો પોતાના કરીયરમા ગળાડૂબ રહે છે એ લોકો પરિવાર, જીવનસાથી, સંતાન, મિત્રો બધા થી દુર  થઈ  જાય છે. કરિયર અને પૈસા ને ઇંપૉર્ટેન્સ આપતા લોકોની લાઇફ માથી પ્રેમ,લાગણી,સહિષ્ણુતા,ગાયબ થઈ જાય છે અન આવા પૈસા ના સંબધો વ્યસનોનું દૂષણ લઈને આવે છે અને આ વ્યસનો લગ્ન જીવન માંથી શાંતિનો ભોગ કે તમારા પરિવાર ના સુખ ચેન નો ભોગ લઇ લે છે.

ખર્ચાળ જીવનસાથી ની જીવન સ્ટાઇલ દેખાદેખી થી ભરેલી હોય છે જે મોટાભાગે લાંબા સાથે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય, એવા હાલ થાય છે. જ્યારે પૈસા ની બાબત મા સ્વાર્થી બનતા પતિ પત્ની તારું મારૂ કરે છે ને ઍક બીજા થી દુર  જાય છેં ને અણબનાવ ,અને  તણાવ ની ખાઈ ઉભી કરે છે.

ઉગ્ર સ્વભાવ કે જક્કી સ્વભાવ ના વ્યક્તિઑ પોતાના જીવન મા જાતે જ  કડવાશ લાવે છે. સ્વભાવે અંતર્મુખી એવા લોકો જાત સાથેજ જીવે છે અને તેમનો આ સ્વભાવ સામે વાળી વ્યક્તિ ને  ગૂંગળાવી નાખે છે અને છેલ્લે પતિ કે પત્ની તરીકે આદર્શ બનવા મા અસફળ રહે છે.

બહાર ટીપ ટોપ અન ઘરે ફૂવડ  રેહતા લોકો પણ થી જીવન માં દુખો ઉત્પન્ન થાય છે.

સેક્સને વધારે પાડતુ  ઇંપૉર્ટેન્સ આપતા, અને સેક્સ ને અવોઇડ કરતા લોકો પણ દુખી થાય છે. મૅરેજ લાઇફ મા સ્ટ્રેસ ને લીધે લગ્ન  જીવન માણવા પછી આ લોકો અક્ષમ બને છે. અને પોતાના વિષે લઘુતા ગ્રંથી  અનુભવે છે.  સુખી લગ્ન જીવન માટે પ્રેમ જેટલુ જ મહત્વ શારીરિક સંબધો નું પણ છે. એકબીજાના શોખો સ્વીકારી ને,એકબીજાને એડજસ્ટ થઈને જીવવાની પણ ઍક મજા છે.

કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ  નથી એમ કોઇ નુ લગ્ન જીવન પણ સંપૂર્ણ ન હોઈ શકે પરન્તુ એકબીજાને વધુ ને વધુ અનુકુળ થઈને, એકબીજાને  સમજી ને જીવાય તો,  સુખી લગ્નજીવન ના લુત્ફ  ઉઠાવી શકાય છે  અને  રોજબરોજ ના સ્ટ્રેસથી, છુટાછેડા જેવા દૂષણથી બચી ને  શાંતિ થી જીવન નો આનંદ માની શકાય, સાથે પરિવાર અને સંતાનો ને પણ સુખી કરી શકાય.

એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગ માં બને છે, પણ આપણે આપણા જીવનસાથી સાથે આજ જન્મ માં અહીંજ સ્વર્ગ નું નિર્માણ કરીએ તો ચોક્કસ ઈશ્વર પણ પ્રસન્ન થશે અને આપનો પરિવાર અને છેવટે સમાજ પણ આનંદી અને સુખી થશે એ નક્કી છે.

હમેશા ખુશ રહો ઍવી ભાવના સાથે આ બ્લોગ પર વિરમુ છુ.

જલ્દી મળિશુ નવાવિષય સાથે.

ચાંદની દલાલ

ઍરેન્જ મેરેજ અને મેરેજ બ્યૂરો….

” શ્રી નાથજી સત્ય છે”

vivaah blog image

લગ્ન ઍ બે પરિવારો દ્વારા નક્કી કરવામાં આવેલો સંબંધ હોય કે બે વ્યક્તિઓ દ્વારા પ્રેમમાં પડીને લીધેલો નિર્ણય હોય, લગ્ન ઍ આ સંસાર નો ઍક અપ્રતીમ સંબંધ છે. ઍક અતિ પવિત્ર સંસ્કાર છે, બે મન, બે આત્મા, બે શરીર અને બે પરિવાર તેમજ સમાજના બે અલગ અલગ ધારા પ્રવાહોનું મિલન છે.

જો આ સંબધ બે સંપૂર્ણ યોગ્ય વ્યક્તિઓ અને પરિવારોને બાંધે તો પેઢીઓની પેઢીઓ તરી જતી હોય છે. અને ઍક પાત્ર પણ જો અયોગ્ય હોય તો બે વ્યક્તિઓજ નહીં, બે પરિવારના તમામ સભ્યોને ભોગવવું પડતું હોય છે.

અને ઍટલે જ, જ્યારે લગ્ન બે પરિવારોની સમજૂતી થી ઍટલે કે અરેંજ મેરેજ થતાં હોય ત્યારે પરિવાર ના વડીલો તેમજ દરેક સભ્યો દરેક વાત ની ચોકસાઇ રાખીને નિર્ણય લેવા મથતાં હોય છે.

તેમાંય જો ઘરે પુત્રી હોય તો તેની  સ્ટડી ફિનિશ થયા પછી જોબ કે પ્રોફેશન મા સેટ થાય  ઍટલે નેક્સ્ટ ઍજન્ડા આવે છે.

સર્ચ ઍ પરફેક્ટ લાઇફ પાર્ટ્નર, જો જાતે ના શોધવુ હોય તો પછી અરેંજ મૅરેજ માટે મેરેજ બ્યૂરો ની હેલ્પ લેવા મા આવે છે .

અરેંજ મૅરેજ નો કૉન્સેપ્ટ યુગો થી ચાલતો આવ્યો છે. પણ ઍમનું પરફેક્ટ સેટ અપ અને ઍમની વિશેષ સુવિધાઓ તમને પેરફેક્ટ સોલ મેટ શોધવામા મદદે આવે છે અને વિશાળ ચોઇસ પણ મળી રહે છે .

આવો જોઇઍ કઈ વિશેષ સુવિધાઓ આપણને મદદરૂપ થઈ શકે…

અરેંજ ઇંટ્રોડકશન

મૅરેજ બ્યુરો મા તમારી ચોઇસ , થિંકિંગ કે પ્રાયોરીટી ને ધ્યાન મા રાખી ને તમને પ્રોફાઇલ સજેસ્ટ કરવામા આવે છે. જેમની સાથે તમે ફોન , મેસેજ પર વાત કરી શકો . ઇંટ્રોડકશન મીટિંગ અરેંજ થાય અને આ બધુ મૅરેજ બ્યૂરો ના અનુભવી ઍક્ષ્પર્ટસ દ્વારા બધુ નક્કી થાય.

આજ કાલ ની યુવતી ઑ ઍજ્યુકેટેડ છે . કૅરિયર ઑરીઍંટેડ .છે. ફાઇનાન્સઈયલી ઇનડિપેંડેંટ છે . ઍમને લગ્ન ની ઉતવાળ નથી હોતી . કોઈ પણ ડિસીઝન લેવામા ઘણુ વિચારે છે . જરૂર લાગે તો કાઉન્સિલિન્ગ સર્વિસ લેતા નથી અચકાતી. ( વિવાહ મૅરેજ બ્યૂરો મા કાઉન્સિલિન્ગ ની સર્વિસ મળે છે.

યુવકો ની પોતાની સાથે શોભે , ગ્રૂપ મા વટ પડી જાય ઍવી ઇંગ્લીશ બોલતી સુંદર યુવતી મા વધારે ઈન્ટેરેસ્ટ પડે છે . પણ અહી હુંઍવુ કહીશ `કે , લુક થી વધારે ઇંપૉર્ટેન્સ છે -. મેચ્યોરીટી, અંડરસ્ટૅંડિંગ , પોઝીટીવ ઍટીટિયૂડ ટૉવર્ડ્સ ઍની સિચ્યુઍશન .

અરેંજ મૅરેજ માં ફૅમિલી નો રોલ ખૂબ ઇંપૉર્ટેંટ છે. જો

જોઇન્ટ ફૅમિલી હોય તો ફૅમિલી મેંબર ના ઇનપુટ લઈને ડિસિશન લેવાતુ હાય છે .

મીટિંગ માટે જાવ ઍ પહેલા જેમને મળવાનુ છે. ઍમની બેઝીક બાયો ડેટા પ્રોફાઇલ ચેક કરી લો …

જે પણ સવાલ છે મન મા ઍ ઍક વખત વિચારી લો….લખી લો….  જેથી નમ્ર કે પોઝીટીવ મૅનર મા તમે પુછી શકો .. ધ્યાન રાખો કે પ્રશ્ન પુછવામા ઈગો હર્ટ ના થાય….

મીટિંગ પોઝીટીવ થાય તો ચેક કરો , વર્ક પ્રોફાઇલ , બૅકગ્રાઉંડ , ફાઇનાન્સઈયલ બૅકગ્રાઉંડ …જો અબ્રૉડ હોય તો વીસા સ્ટેટસ , ડાઇવોર્સ હોય તો પેપર ચેક કરો…

જો વધારે ઈન્ટેરેસ્ટ હોય તો રેગ્યુલર ફોન,ચૅટ,ઈમેલ થી કૉંટૅક્ટ મા રહો જેથી વધુ સારી રીતે ઍક બીજા ને ઓળખી શકો

બધુ પોઝીટીવ હોય તો બેઝીક મેડિકલ ચેક અપ માટે વાત કરો..

આજે બધા જ ફૅમિલી ઍચાઇવી , થેલેસેમિક RH ફૅક્ટર ટેસ્ટ

ટેસ્ટ વિષે જાણતા જ હોય છે …

બને સાથે જ ઍક જ ક્લિનિક મા જઈને ટેસ્ટ કરાવી શકો . જે તમને નિર્ણય લેવામા મદદ કરે છે ….

હવે કઈ પણ ડાઉટ્સ વગર તમે લગ્ન ની પ્રોસેસ મા આગળ વધી શકો છો…

ભવિષ્ય આપણે જોઈ નથી શકતાં પણ જો પૂરતી ચોકસાઇ રાખી હોય અને, મેરેજ બ્યૂરોની પ્રોફેશનલ સેવાઓ લીધી હોય તો ભવિષ્યની ઘણી તકલીફોની શક્યતાઓને નિવારી શકાય છે. અને, ઉપર જણાવેલ પોઈન્ટમાં ક્લિયર થયા પછી સુખમય ભવિષ્ય તરફ આગળ વધી શકાય છે.

તમારા સોનેરી લગ્નજીવન ની  શુભકામનાઓ સહ…

બહુ જલ્દી ફરી મળીશું ઍક નવા લેખ સાથે…

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ