
મેરેજ અને ફેમિલી મિટિંગ

“શ્રી નાથજી સત્ય છે.”
જયારે નવી રિલેશનશીપ હોય એ વખતે એકબીજા વિષે વધુ ને વધુ જાણવાની વધુ ને વધુ પોતાના વિષે કેહવાની ઇંતેજારી હોય છે. ખુબ-ખુબ વાતો કરવી હોય છે. અને આ વાતો ઇન્ટરેસ્ટિંગ બની રહે અને એકબીજાની વધુ નજીક આવી શકાય, એકબીજા માટેની ઈંટીમસી પણ ડેવલોપ થાય. અને આ વાત દરેક કપલને પણ લાગુ પડે છે. એના માટે કોમ્યુનિકેશનના નવા નવા ટોપિક શોધો. શરૂઆતમાં વધુ પર્સનલ નહીં અને વધુ રુડ નહિ એવી, પણ ઇફેક્ટિવ રીતે વાત કરો. મોટા મોટા પોઝ નહિ રાખો, નહિ તો કોમ્યુનિકેશનમાં મજા નહીં આવે. જો તમે લાંબા સમયથી એકબીજાના સંપર્ક માં છો તો કોમ્યુનિકેશન તમારા રિલેશનને વધુ ને વધુ નજીક લાવશે અને એકબીજાને વધુ ને વધુ સમજવામાં મદદ કરશે.
એવું બની શકે કે તમારા પ્રશ્નો કે વાતના ટોપિક એક ના એક જ હોય પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ બનશે કે તમારા સાથી એનો દરેક વખતે જુદા જુદા જવાબ આપશે. આ પ્રશ્નો કે ટોપીક એ તમારી કેમેસ્ટ્રીને સ્ટ્રોંગ બનાવશે, સાથે તમારા રિલેશન માં પ્રેમ નું ખાતર પણ પુરાશે. પણ શરત માત્ર એટલી કે પ્રોપર વે માં વાત કહેવાવી જોઈએ કે પૂછાવી જોઈએ.
ટોપિક્સ:-
વિક એન્ડ પ્લાનિંગ:- વિક એન્ડ ના પ્લાનિંગ ની ચર્ચા તમારા સાથી સાથે કરો. પછી ભલે ને આજે વીકનો પેહલો દિવસ જ કેમ ન હોય. કેમકે આવતા વિક એન્ડ નું પ્લાનિંગ તમને બંને ને એક રોમાંચ આપશે અને એનાથી આવનારા બધા દિવસો ખુબ જ એક્સાઇટમેન્ટમાં જશે. જેમ કે વીક એન્ડ માં આવતા નવા નવા tv શો કે નવી આવેલી બુક વિષે કે નવા ખુલેલા ક્વિઝીન વિષે વાત કરી શકો.
વખાણ કરો:-તમારા સાથીની હંમેશા પ્રશંશા કરો અને આ વાત એમને નેચર વિષે એમ્નીપર્સનાલીટી વિષે કે પછી એમને કામ વિષે કેમ ન હોય.એમને ખબર પડવા દો કે તમે એમને કેટલું એડમયાર કરો છો-કેટલા એપ્રિસિએટ કરો છો.
કેર કરો:- તમારા પાર્ટનરની દરેક બાબતે કાળજી કરો એમને જાણવા દો કે તમે એમના માટે શું ફીલ કરો છો. એ જાણીને એ તમારા માટે ખુબ સારું ફિલ કરશે અને તમારા સંબંધો વધુ ને વધુ મજબૂત બનશે.
કામ ના વખાણ કરો:- તમારા સાથી સાથે હંમેશા એકબીજાના કામ વિષે પણ ચર્ચાઓ કરો જેથી તમને બંને ને એકબીજાના કામનો, કામ ના સ્ટ્રેસ લેવલ નો, વર્ક સ્ટ્રેસનો, પ્રોફેશનલ અને પર્સનલ એથિક્સ નો પણ ખ્યાલ આવશે.
ખાનગી વાતો :-ખાનગી વાતો એકબીજ ને જણાવવાની પણ એક મજા હોય છે. એના માટે તમે ગમે તેની જેમ પણ એકબીજાની સાથે વાત કરી શકો. મજા પણ આવશે, એકબીજાની ખાનગી વાત પણ જાણી શકશો અને એકબીજા ની વધુ નજીક પણ આવશો. પણ જો એ વાત તમારા પાસ્ટ લાઈફ ની હોય તો એ કરતા તમને મુંઝવણ કે ઓકવર્ડ ફીલ થાય તો તે વાત ને ટાળો.
મહત્વાકાંક્ષા:- લાઈફની મહ્ત્વકાંશા વિષે એકબીજા સાથે વાત કરો તમારા પાર્ટનરને જણાવો તમારી ઈચ્છાઓ ,સપનાઓ વિષે અને તમારું વિઝન શું છે એ પણ કહો એમાં એમનો અભિપ્રાય પણ લો આમ કરવાથી તમારું કંવરશેસન ખુબ જ સારું થશે અને તમારા પાર્ટનર તમારી પર્સનલ સાઈટ ખુબ જ સારી રીતે જાણી શકશે.
હોલીડે પ્લાનિંગ:- તમારા હોલીડે નું પ્લાનિંગ તમે બંને સાથે મળી ને કરો એ પ્લાનિંગ ભલે વિકેન્ડ નું હોય, કે કોઈ સ્પેશિઅલ દિવસનું હોય. હોલિડેઝ હંમેશા આપણા કેલેન્ડરમાં હાઈલાઈટ થતા હોય છે અને એનું જો પ્રોપર પ્લાનિંગ થાય તો હોલીડેમાં મજા આવી જાય. કેમ કે હોલિડેઝ આપણને રિફ્રેશ કરતા હોય છે.
પ્રાઇવેટ ટાઈમ:-તમારા પ્રાઇવેટ ટાઈમમાં તમે ફ્રી થઇને શું કરો છો, સ્પેશિયલી જયારે તમે તમારા પાર્ટનર સાથે ન હોવ એ સમયે. એમને પણ તમારા પ્રાઇવેટ ટાઈમ વિષે જણાવો. કદાચ એવું પણ જાણવા મળી શકે કે તમારા બનેંની ફ્રી ટાઈમની હોબીઝ સરખી જ છે.
એકબીજાના ફ્રેન્ડ્સ વિષે જાણો જેથી તમને તમારા પાર્ટનર વિષે પણ ઘણું બધું ખબર પડી શકે છે.
પ્રાઉડ મોમેન્ટ વિષે કહો.:-એકબીજા ને તમારા જીવનની પ્રાઉડ મોમેન્ટ વિષે કહો. એ ક્ષણોને યાદ કરવા માત્રથી એ સમય ખુબ જ આનંદમા જાય છે અને તમારું કન્વર્સેશન એક ખુશહાલ કન્વર્સેશન બની રહે છે.
હેલ્પ કરો:-હંમેશા તમારા સાથી ને એના કામ માં મદદ કરો. ભલે ને એ કામ નાનું કે સિલી કેમ ના હોય પણ તમારા સાથીની નજીક રહેવાનો એ મોકો ન ગુમાવો. સાથે રહેવાથી એકબીજા માટે એક સારી ફીલિંગ પણ આવશે.
ભૂલ વિષે કહો:- તમારાથી થયેલી ભૂલ વિષે સાથી સાથે ખુલ્લા મને વાત કરો. ભૂલ હવે ન થાય એની પણ બાંયધરી આપો. બની શકે છે કે તમારા સાથી પણ રિલેક્સ થાય અને પોતાની કોઇ ભૂલ કે નબળાઈ વિષે પણ તમને કહે.
ફેમિલી વિષે વાત કરો:-એકબીજાની સાથે ફેમિલી વિષે પણ વાત કરો ફેમિલીની માહિતી આપી જણાવો કે તમારા ફેમિલી મેમ્બર્સનું તમારી લાઈફમાં શું મહત્વ છે. જેથી પેહલી મુલાકાતમાં તમારા સાથી તમારા ફેમિલી સાથે કમ્ફર્ટ ઝોન માં રહી શકે.
પ્રોબ્લેમ્સ ને બેડરૂમમાં ન લાવો:- દરેક ની લાઈફમા નાના મોટા પ્રોબ્લેમ્સ હોય છે.પણ એનું ડિસ્કશન કરો, એને આર્ગ્યુમેન્ટ ના બનવા દો. બને તો પ્રોબ્લેમ્સને રૂમની બહાર જ સોલ્વ કરો .બેડરૂમમાં થતા વધુ પડતા ડિસ્કશન તમને એકબીજથી હર્ટ કરશે અને દૂર કરશે.
સેક્સ ને મહત્વ આપો:- પ્રેમ જેટલું જ મહત્વ સેક્સને પણ આપો. તમારા સાથી સાથે સેક્સ વિષે પણ ચર્ચા કરો. એમની ફેન્ટસી વિષે જાણો અને તમારી ફેન્ટસી એમને કહો. એમાં અચકાવ નહિ તમે તમારા સાથી સાથે જ વાત કરો છો. ગમા અણગમા વિશે પણ વાત કરો.
હેલ્થ:- હેલ્થ વિષે પણ વાત કરો. સારી હેલ્થ એ સારી રિલેશનશિપનું અંગ છે. રેગ્યુલર ચેક અપ, જીમ, યોગા ને લાઈફ માં એડ કરો.
પ્રેફરન્સીસ જાણો :-ઘણી વખત થતું ફની ડિસ્કશન આપણે લાંબા ટાઈમ સુધી ખુશ મૂડમાં રાખે છે. એકબીજાની સાથે વાતો કરતા રહો જેથી એકબીજાની લાઈક-ડીસ્લાઇક, ફયુચર પ્લાનિંગ ખબર પડે. કેમકે દરેકની લાઈફના પ્રેફરન્સીસ સમય સાથે બદલાય છે. અને તમે જેટલું તમારા સાથીના પ્રેફરન્સીસને જાણશો એટલું જ તમે એને સમજી શકશો – એને જાણી શકશો.
કેર કરો:-જો તમે તમારા સાથીને સાચા દિલથી પ્રેમ કરો છો તો તમારા મનમાં જે પણ કઈ છે એ એમની સાથે શેર કરો, એ પછી એક સજેશન કે પછી કંઈક એમના માટે વોર્નિગ કેમ ન હોય. જો એ તમારા સાથીને લગતી વાત હોય તો એને શાંતિથી જણાવો. તમારા સાથીને તમારા માટે માન થશે, એ તમારા માટે સારું ફીલ કરશે અને તમે એની કેર કરો છો એની ફીલિંગ એમના દિલમાં તમને સ્પેશ્યલ વ્યક્તિ બનાવી દેશે.
હજુ ઘણું બધું કહી શકાય પણ આજે તમારા સાથીના દિલમાં પ્રેમાળ સ્થાન મળે એવી શુભેચ્છા સાથે વિરમું છું
આપના સજેશન્સ આવકાર્ય છે.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર
99250-18706
” શ્રી નાથજી સત્ય છે.”
લગ્ન એટલે ફેમિલી ની શરૂઆત, એકબીજાને અપાતું કમીટમેન્ટ, લગ્ન એ ફિઝિકલ જોડાણ-યુનિયન કરતા માનસિક અને ઇમોશનલ યુનિયન વધારે છે. જયારે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથીથી જોડાય છે ત્યારે એ બે માંથી એક બને છે, એકબીજાના પૂરક બને છે. મેરેજથી એક લાઈફ પાર્ટનર જ નહિ પરંતુ એક મિત્ર પણ મળે છે, જે જિંદગીની દરેક ખુશી કે દુઃખમાં હંમેશા સાથે હોય છે. જીવનની દરેક અપ્સ અને ડાઉન વખતે તમને સહકાર આપે છે. યોગ્ય સલાહ આપે છે. એના સહકારથી, પ્રેમાળ સપોર્ટથી બધી ચેલેંજો સામે જીતી શકાય છે. આમ મેરેજ જેવું બીજું એક પણ બોન્ડ નથી જેમાં ફાયદાઓ જ છે. અને જેનું રિટર્ન સક્સેસફુલ મેરેજના રૂપ માં આખી જિંદગી મળે છે.
મેરેજ કરવા ખુબ જ જરૂરી છે અને સારો સાથી મેળવવો પણ ખુબજ અગત્યનું છે. અને ખુબ મેહનત માંગી લે છે પણ સારો સાથી મળી જાય તો બેડો પાર થઇ જાય. સારો સાથી કેમ સિલેક્ટ કરવો, શું ક્વોલિટી જોવી એ એક આખો બીજો જ વિષય છે. પણ સારા જીવનસાથી સાથે તમે જિંદગી ની બધી જ પળો ખુબ જ ખુશીથી જીવી શકો એમાં બેમત નથી.
લગ્ન કરવા માટે દરેક ના જુદા જુદા રીઝન્સ હોય છે. અને એને સક્સેફુલ બનાવવા માટે ના દરેક ના પોતાના કારણો જુદા જુદા હોય છે. થોડા ફંડા હું અહીં શેર કરીશ.
1.જે લોકો માટે કમિટમેન્ટ ઈમ્પોર્ટન્ટ છે એ લોકો પ્રાઇવેટમાં આપેલા કે જાહેર માં આપેલા દરેક કમિટમેન્ટ ને પાળે છે. અને લગ્નમાં તો જાહેરમાં કમિટમેન્ટ આપવામાં આવે છે. અને એની ઈફેક્ટ એમના માટે ખુબ જ હોય છે. તેઓ એકબીજાની કાળજી લેવી, પ્રેમ કરવો, ફાઇનાન્સ મેટર હોય કે હેલ્થ મેટર કે એમના લાઈફપાર્ટનરના ફેમિલીની રિસ્પેક્ટ હો,ય દરેક બાબતે કમિટેડ હોય છે. અને એ એમના સાથી નું ખુબ ધ્યાન રાખે છે
2.મેરેજ કરવાથી તમારું સ્ટેટ્સ ચેન્જ થાય છે અને તમે સમાજ ની વધુ નજીક આવો છો. અને સમાજ સાથે એક બોન્ડ બંધાય છે. સમાજ ને આગળ વધારવામાં સહભાગી બનાય છે.
3.જયારે તમે યંગ હોવ ત્યારે તમને કોઈ પણ નવું સાહસ કરવાની ઈચ્છાઓ હોય છે સાથી ના પ્રોત્સાહનથી જ નવા સાહસ કરવાનું બળ મળે છે. અને સારી કે ખરાબ પરિસ્થિતિ માં કે દરેક મોડ પર તમારા સાથી તમારી સાથે જ હોય છે. (જોકે આજકાલ ઈગો, અવિશ્વાસ મિસઅંડરસ્ટેન્ડિંગ ને લીધે ડાયવોર્સ નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અને આ એક જુદો જ વિષય છે.)
4.સમાજદાર અને વર્કિંગ સાથી મળે તો એકબીજાના ફાઈનાન્સીયલ ક્રાઇસીસને હૅન્ડલ કરી લે છે. અને એકબીજા ને સપોર્ટ કરે છે.
5.જયારે તમારી ઉમર વધે છે અને ફિઝિકલી થોડા નબળા બનો છો એ વખતે તમારા સાથી જ તમારી કાળજી લે છે.
6.સારો સાથી માનસિક, શારીરિક, ઇમોશનલ સપોર્ટ આપે છે જેની જિંદગીના દરેક મોડ પર જરૂર હોય છે.
આ સિવાય પણ ઘણા બધા જુદાજુદા કારણો છે કે મેરેજ કરવાના.
આમ લગ્ન કરવાથી વ્યક્તિમાં ફિઝિકાલિ, મેન્ટલી ફાઇનાસીલી, હેલ્થવાઇસ પણ જવાબદારીઓ ને લીધે ઘણા બધા પોઝિટિવ ચેન્જ આવે છે. સમાજ આગળ વધે છે. એક હેલ્ધી ફેમિલીનું નિર્માણ થાય છે. જે આગળ જતા એક હેલ્ધી સમાજ બનાવવામાં પોતાનો સહયોગ આપે છે.
આપના પ્રતિભાવો અપેક્ષિત.
જલ્દી મળીશું નવા વિષય સાથે
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર
99250-18706
http://www.vivaahmarriage.com
chandni@vivaahmarriage.com
” શ્રી નાથજી સત્ય છે”
ટીન એજ એટલે શું?
ટીનએજ એટલે એવો સમય જેમાં બાળકો world of being માંથી world of doing માં પ્રવેશે છે. અને એ વખતે એમને વિશ્વને કંઈક કરી બતાવવાની ઈચ્છા હોયછે. ટીનએજ માં ફેમિલી લાઈફ સિવાય બહારની દુનિયા ને જોવા જાણવાની ઈચ્છા પણ લક્ષ્ય વગરની, ઉડવાની ઈચ્છા હોય છે પણ વિઝન નથી હોતું. ટૂંકમાં ટીનએજમાં નવા નવા સંબંધો બનાવવા, પ્રેમ માં પડવું, કંઈક કરી બતાવવું એવો સમય.
બાળકો જયારે ટીન એજ માં પ્રવેશે ત્યારથી એમનામાં આવતાં ચેન્જ વિષે ચિંતિત હોય છે અને એ વખતે બાળકોને પેરેન્ટ્સ ની ખુબ જરૂર હોય છે. એમની એડોલસન્સ અવસ્થા એટલે કે કિશોર અવસ્થામાં એમને પેરેન્ટ્સની લાગણી , હૂંફ અને પ્રેમ ની ખુબ જરૂર હોય છે. અને એ જો મળી રહે તો બાળકો કિશોર અવસ્થાના પ્રોબ્લેમ્સથી દૂર રહે છે. એના માટે પેરેન્ટ્સે પણ પૂરતો ટાઈમ બાળકો સાથે ગાળવો જોઈએ. ટીનએજમાં બાળકો પણ એમની સ્ટડી, સ્પોર્ટ્સ, એમના ફ્રેન્ડ સર્કલ માં બીઝી હોય છે અને પોતાના વર્ક સ્ટ્રેસમાં પેરેન્ટ્સ પણ બાળકોને ઇગ્નોર જ નથી કરતા પરંતુ બાળકોથી કઈ ભૂલ થાય તો એમની સાથે એવી રીતે બીહેવ કરે છે કે જાણે એ પોતે એમને બાળકને પ્રેમ જ નથી કરતા. અને આવું કરવાથી પેરેન્ટ્સ બાળકો માટે સ્ટ્રેન્જર બની જાય છે. બાળકો કહેતા નથી પણ એમને પેરેન્ટ્સ ના પ્રેમ ની ખુબ જ જરૂર હોય છે.
ટીન એજ બાળક જાતે પોતાના લીધેલા કોઈ પણ ડિસિશન માં ખોટો પડે છે ત્યારે જો પેરેન્ટ્સની હૂંફ નહિ મળે તો એ બાળક ખોટા રસ્તે, ખોટી સંગત માં કે ખોટી આદતનો શિકાર બને છે તો પેરેન્ટ્સ આ તમારા માટે એક વેકઅપ કોલ છે. જાઓ અને તમારા બાળકનું ધ્યાન આપો. એને ખોટા રસ્તે જતું બચાવો.
પેરન્ટ્સ અને બાળકોના રિલેશન એ રિસ્પેક્ટ, સમજણ ,અન્ડરસ્ટેન્ડિંગ અને એકબીજા ની ચિંતા- લાગણી પર ટકેલા છે. આજના સમયમાં ટીન એજબાળકોનું પેરેન્ટીંગ એક પડકાર છે. મોટા થતાં આ બાળકોમાં સ્વતંત્રતા મેળવવાની ઈચ્છા એક સામાન્ય બાબત છે- એને કુદરતી પણ કહી શકાય.બાળકોને એ વખતે વધુ પ્રેમ,માર્ગદર્શન અને સમયની જરૂર હોય છે. તમારા બાળકો સાથે તમે યોગ્ય રીતે વર્તીને તમારા સંબંધો ની પૂર્ણતા એ પહોંચી શકશો.
હવે પછી ના બ્લોગ માં આપણે જોઈશું કે પેરેન્ટ્સ તરીકે આપણે કઈ બાબતોનું શું શું ધ્યાન રાખવાનું જરૂરી બને છે.
જલ્દી મળીશું વધુ વિચારો સાથે.
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ
9925018706