લગ્ન કેમ કરવા જોઈએ ?

” શ્રી નાથજી સત્ય છે.”

લગ્ન એટલે ફેમિલી ની શરૂઆત, એકબીજાને અપાતું કમીટમેન્ટ, લગ્ન એ ફિઝિકલ જોડાણ-યુનિયન કરતા માનસિક અને ઇમોશનલ યુનિયન વધારે છે. જયારે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથીથી જોડાય છે ત્યારે એ બે માંથી એક બને છે, એકબીજાના પૂરક બને છે. મેરેજથી એક લાઈફ પાર્ટનર જ નહિ પરંતુ એક મિત્ર પણ મળે છે, જે જિંદગીની દરેક ખુશી કે દુઃખમાં હંમેશા સાથે હોય છે. જીવનની દરેક અપ્સ અને ડાઉન વખતે તમને સહકાર આપે છે. યોગ્ય સલાહ આપે છે. એના સહકારથી, પ્રેમાળ સપોર્ટથી બધી ચેલેંજો સામે જીતી શકાય છે. આમ મેરેજ જેવું બીજું એક પણ બોન્ડ નથી જેમાં ફાયદાઓ જ છે. અને જેનું રિટર્ન સક્સેસફુલ મેરેજના રૂપ માં આખી જિંદગી મળે છે.

vivaah

મેરેજ કરવા ખુબ જ જરૂરી છે અને સારો સાથી મેળવવો પણ ખુબજ અગત્યનું છે. અને ખુબ મેહનત માંગી લે છે પણ સારો સાથી મળી જાય તો બેડો પાર થઇ જાય. સારો સાથી કેમ સિલેક્ટ કરવો, શું ક્વોલિટી જોવી એ એક આખો બીજો જ વિષય છે. પણ સારા જીવનસાથી સાથે તમે જિંદગી ની બધી જ પળો ખુબ જ ખુશીથી જીવી શકો એમાં બેમત નથી.

લગ્ન કરવા માટે દરેક ના જુદા જુદા રીઝન્સ હોય છે. અને એને સક્સેફુલ બનાવવા માટે ના દરેક ના પોતાના કારણો જુદા જુદા હોય છે. થોડા ફંડા હું અહીં શેર કરીશ.

1.જે લોકો માટે કમિટમેન્ટ ઈમ્પોર્ટન્ટ છે એ લોકો પ્રાઇવેટમાં આપેલા કે જાહેર માં આપેલા દરેક કમિટમેન્ટ ને પાળે છે. અને લગ્નમાં તો જાહેરમાં કમિટમેન્ટ આપવામાં આવે છે. અને એની ઈફેક્ટ એમના માટે ખુબ જ હોય છે. તેઓ એકબીજાની કાળજી લેવી, પ્રેમ કરવો, ફાઇનાન્સ મેટર હોય કે હેલ્થ મેટર કે એમના લાઈફપાર્ટનરના ફેમિલીની રિસ્પેક્ટ હો,ય દરેક બાબતે કમિટેડ હોય છે. અને એ એમના સાથી નું ખુબ ધ્યાન રાખે છે

2.મેરેજ કરવાથી તમારું સ્ટેટ્સ ચેન્જ થાય છે અને તમે સમાજ ની વધુ નજીક આવો છો. અને સમાજ સાથે એક બોન્ડ બંધાય છે. સમાજ ને આગળ વધારવામાં સહભાગી બનાય છે.

3.જયારે તમે યંગ હોવ ત્યારે તમને કોઈ પણ નવું સાહસ કરવાની ઈચ્છાઓ હોય છે સાથી ના પ્રોત્સાહનથી જ નવા સાહસ કરવાનું બળ મળે છે. અને સારી કે ખરાબ પરિસ્થિતિ માં કે દરેક મોડ પર તમારા સાથી તમારી સાથે જ હોય છે. (જોકે આજકાલ ઈગો, અવિશ્વાસ મિસઅંડરસ્ટેન્ડિંગ ને લીધે ડાયવોર્સ નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અને આ એક જુદો જ વિષય છે.)

4.સમાજદાર અને વર્કિંગ સાથી મળે તો એકબીજાના ફાઈનાન્સીયલ ક્રાઇસીસને હૅન્ડલ કરી લે છે. અને એકબીજા ને સપોર્ટ કરે છે.

5.જયારે તમારી ઉમર વધે છે અને ફિઝિકલી થોડા નબળા બનો છો એ વખતે તમારા સાથી જ તમારી કાળજી લે છે.

6.સારો સાથી માનસિક, શારીરિક, ઇમોશનલ સપોર્ટ આપે છે જેની જિંદગીના દરેક મોડ પર જરૂર હોય છે.

આ સિવાય પણ ઘણા બધા જુદાજુદા કારણો છે કે મેરેજ કરવાના.

આમ લગ્ન કરવાથી વ્યક્તિમાં ફિઝિકાલિ, મેન્ટલી ફાઇનાસીલી, હેલ્થવાઇસ પણ જવાબદારીઓ ને લીધે ઘણા બધા પોઝિટિવ ચેન્જ આવે છે. સમાજ આગળ વધે છે. એક હેલ્ધી ફેમિલીનું નિર્માણ થાય છે. જે આગળ જતા એક હેલ્ધી સમાજ બનાવવામાં પોતાનો સહયોગ આપે છે.

આપના પ્રતિભાવો અપેક્ષિત.

જલ્દી મળીશું નવા વિષય સાથે

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર

99250-18706
http://www.vivaahmarriage.com
chandni@vivaahmarriage.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s