સાસ ભી કભી બહુ થી…કાલ અને આજ…

“શ્રી નાથજી સત્ય છે”

દુનિયાનો સૌથી વગોવાયેલો સંબંધ છે,”સાસુ અને વહુ નો”. કેમ સાસુ અને વહુ ની વચ્ચે ક્લેશ થાય છે? આ પ્રશ્નનો જવાબ અઘરો અને કોમ્પ્લિકેટેડ છે.

sas bahu

ચાલો સમજીએ.

દીકરાના પેરન્ટ્સને એક સારી,સુંદર અને સંસ્કારી વહુ જોઈતી હોય છે. જયારે દીકરો પોતાની ફયુચર વાઇફનાજુદા જ સપનામાં હોય છે. દીકરા ના પેરેન્ટ્સ વહુ માટે જુદીજ અપેક્ષાઓ લઈને બેઠા હોય છે. એને ખુબ જ કંફર્ટ ફીલ કરાવતા હોય છે. પરંતુ સિચ્યુએશન થોડા જ સમય માં આખી બદલાઈ જાય છે.મમ્મી ને ચિંતા થાય છે કે દીકરો જે મને પૂછીને બધું કરતો હતો એ હવે એની વાઈફ નું કહ્યું કરે છે, સાંભળે છે, એની પાછળ પાછળ ફરે છે. હવે એમને એ ચિંતા થયા છે કે દીકરો હવે એમને છોડી ને જતો રહેશે કે એ હવે બદલાઈ જશે.

અહીં એવું કહેવુ વ્યાજબી નથી કે દરેક વખતે સાસુ નો જ વાંક હોય.કેમકે આજકાલ મોટાભાગ ના ફેમિલી ન્યુક્લિઅર થઇ ગયા છે. પહેલાના સમય માં પતિ ઓફિસ નું અને બહાર નું કામ સાંભળતો અને પત્ની ઘર અને ફેમિલી અને સાસરીવાળા ને સાંભળતી એ વખતની સાસુઓ ખુબ જ ડિફિકલ્ટ હતી એમના મન માં એમના દીકરા માટે ખુબ જ પ્રેમ અને લાગણી રહેતા અને એથી એ એની વહુ ને એના જીવન માં સાંખી નહી શકતી કેમકે એને એક ડર રહેતો કે વહુ એના દીકરાને એનાથી દૂર કરી દેશે એટલે ઘર માં ફક્ત એનું વર્ચસ્વ રાખતી જેથી બધું એના કહ્યા માં થાય અને દીકરો અને વહુ બંને એન કહ્યા માં રહે.

બીજી બાજુ જોઈએ તો વહુ એના ઘર માં એના પેરેન્ટ્સ ની લાડકી હોય છે, ભાઈ બહેન ની વ્હાલી હોય છે. જયારે એના મેરેજ થાય છે ત્યારે એ બધું છોડી ને ફક્ત એના હસબન્ડ માટે સાસરે જાય છે.ત્યારે એની માનસિકતા ખુબ જ કોમળ હોય છે.આ સિચ્યુએશન માં સાસુ એવું વિચારે કરે કે એ એની વહું ને એવી રીતે ટ્રિટ કરે જેવી રીતે એમને એમની સાસુ એ ટ્રીટ કર્યા હતા. આ વખતે જો હસબન્ડ પણ જો ડોમિનેટ કરે અને એનેસ્પેસ ન આપે , એને એના ફેમિલી સાથે વાત ન કરવા દે અને મળવા પર રિસ્ટ્રિક કરે અને પાછળ થી બધી ખોટી ડિમાન્ડ કરે તો હું કહીશ કે હસબન્ડ અને સાસરિયા પોતાની વહુ ને સમજવામાં કાચા પડ્યા છો.

દીકરો પોતાની માં ને જેટલો પ્રેમ કરે છે એટલો જ પોતાની પત્ની ને પણ કરે છે. અને આ વાત માટે વાઇફ ક્યારે પણ ના નથી કહેતી અને બસ તમે એને સમજો અને એને પ્રેમ થી અપનાવો એ બધું તમારા માટે મૂકી ને આવી છે, તમારા સુખ દુઃખ માં સાથી થવા માટે આવી છે

એક બાજુ સાસુ ને ક્યારે પણ પોતાના દીકરા ના અધિકારો માં ક્યારે પણ બાંધછોડ નથી કરવી હોતી.બીજી બાજુ, વહુ એ માનસિક અને શારીરિક રીતે પોતાના હસબન્ડ સાથે જોડાયેલી હોય છે એટલે એ પોતાના હસબન્ડ ઉપર ફક્ત એનો જ અધિકાર છે એમ સમજે છે. આ માટે વહુ નું એવું કેહવું હોય છે જુદા જુદા બેકગ્રાઉન્ડ ના હોવા થી એકબીજા ને સારી રીતે સમજવા ખુબ જ જરૂરી છે નહિ તો જરૂરિયાતો મળે નહિ અને ક્લેશ થાય છે. અહીં એક હસબન્ડ અને એક પુત્ર ની હાલત ખરાબ થાય છે એને ખબર જ નથી પડતી કે કોને સપોર્ટ કરું? અને એનું જીવન ખરાબે ચડી જાય છે. સૌથી ખરાબ વાત તો ત્યારે થાય છે જયારે સાસુ ને આજુબાજુ વાળા લોકો કે ફ્રેન્ડ્સ ચડામણી હોય.

જે સાસુ ને વહુ વિરુદ્ધ ચડાવી ને એકબીજા ના દુશ્મન બનાવે છે.આ વખતે સાસુ ભૂલી જાય છે એપણ એક વખત વહુ હતી.અને એણે પણ આવી સિચ્યુએશન સહન કરી છે આવી સિચુએશન માં મીસઅંડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સ પણ ખુબ જ હોય છે.હસબન્ડ એવું ઈચ્છે કે વાઇફ બધું એડજેસ્ટ કરે, ખરાબ માં ખરાબ સિચ્યુએશન હોય તો પણ….

અહીં કહેવાનું એ હસબન્ડ માટે ખુબ જ સહેલું છે પણ વાઇફે સહન કરવાનું ખુબ જ અઘરું છે. અહીં એને હસબન્ડ પાસે જે સપોર્ટ જોઈએ એ નથી મળતો. સાસુ વહુ વચ્ચે પ્રોબ્લેમ્સ થાય તો તમે જાતે વાત કરી ને રસ્તો શોધો. નહિ કે તમારા હસબન્ડ કે દીકરાને કહી ને….યાદ રાખો આમાં તમારા હસબન્ડ કે દીકરો સહન કરે છે તમે તો તમારી પઝેસિવનેસ અને ઈગો ને પોષો છો.

સિચુએશન ખરાબ થાય ત્યારે

સાસુ:

અહીં યાદ રાખો કે તમારો દીકરો એ હવે ફક્ત તમારો નથી રહ્યો, એ હવે તમારી વહુ નો પણ છે. એમને એકબીજા ને થોડો ટાઈમ આપવા દો. વહુને ફોર્સ ના કરો કે એ તમારા ફેમિલી ના ટ્રેડિશન ને ફોલો કરે. એમને એકલા રહેવા દો, એમને પણ ફેમિલી ની જરૂર છે. જેટલું રિસ્ટ્રિક્ટ કરશો એટલી નફરત વધશે.અને તમારો દીકરો જ પ્રેસર માં રહેશે.

વહુ:

તમારા હસબન્ડ જાણે છે ને સમજે પણ છે કે તમે વિવાહ કે લગ્ન થયા ત્યારથી તમે જે ડિફિકલ્ટી માંથી પસાર થાવ છો. અને તમારી સાસુ પણ તમારી જ પરિસ્થિતિ માંથી પસાર થાય છે. અને તમારા હસબન્ડે તમને સ્વિકારી લીધા છે.થોડો સમય લાગશે પણ સાસરી માં પણ બધા તમને સ્વીકારી લેશે, બસ થોડી ધીરજ રાખો. હસબન્ડ તમને પ્રેમ કરતા હોય ત્યારે એમને સમજી ને સાસરી માં થોડું એડજેસ્ટ કરો. એ સમજી શકાય કે તમે ખુબ જ સપનાઓ લઇ ને સાસરી માં આવ્યા છો.થશે બધું જ થશે એના સમય પર. થોડી ધીરજ રાખો. હસબન્ડ એમના પેરન્ટ્સને છોડી ને તરત તમારી બાજુમાં ના આવી શકે.જયારે તમે પણ મમ્મી બનશો એ સમયે સમજાશે તમને તમારા સાસુ ની પઝેસિવનેસ. તો સાસરી વાળા ને સમય આપો એ તમે અપનાવી જ લેશે. પતિ એ તમારો જ છે જે તમારી પાસે આવી જ જશે.

પતિ /પુત્ર :

તમારી વાઇફ અને માં બંને ને સમજો. મમ્મી કે વાઇફ કોઈ પણ 100% પરફેક્ટ નથી. જો તમને કોઈ ઇસ્યુ કહેવામાં આવે તો એને ધ્યાન થી સાંભળો ,સમજો કોઈ નો પણ વાંક ના જુઓ,કોઈ ને પણ બ્લાઇન્ડલી ફોલૉ ના કરો. નહિ તો તમારી મેરેજ લાઈફ ખરાબ થઇ શકે છે.મિસ અન્ડરસ્ટેન્ડિંગ ના લીધે ઘણા ડાયવોર્સ થયા છે.જેટલો પ્રેમ કરો છો એટલો જ એને સમજવાનો પ્રયત્ન કરો. કેમકે તમારા પેરન્ટ્સ પછી તો તમારી વાઇફ જ તમારી સાથે હશે. ગુસ્સો આંવે તો બધાની સામે નહિ પરંતુ રૂમ માં એકલામાં કહો. અને સલાહ આપવી  હોય એ પણ મમ્મી ની સામે નહિ પણ એકલામાં કહો. વાઇફ નું રિસ્પેક્ટ રાખો એ એને પણ ગમશે. ટૂંક માં દરેક એકબીજા ની વેલ્યુ સમજો અને સંબંધો ની ગરિમા સાચવો. “Live n let live” નું સૂત્ર અપનાવો.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

 

લગ્ન કરવા માટે યોગ્ય ઍજ કઈ?

“શ્રી નાથજી સત્ય છે”

મારી 13 વર્ષના મેરેજ બ્યુરો કન્સલ્ટન્ટ ની કારકિર્દી માં સૌથી વધારે પૂછતો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે કરવા જોઈએ? લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર કઈ? ગવર્મેન્ટ ના કાયદા તો મુજબ તો 21 વર્ષ પછી તમે લગ્ન કરી શકો. મારો વ્યુ એ છે કે જ્યારે તમેં મેરેજ માટે પ્રિપેર હોવ એ સૌથી સારો ટાઈમ છે. હું કહીશ કે મેરેજ માટે ઉંમર થી વધારે ઈમ્પોર્ટન્ટ છે મેચ્યુરિટી અને અન્ડરસ્ટેન્ડિંગ .

vivaah

જ્યારે યંગ છો ત્યારે જ મેરેજ કરો:

  • જસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરી ને એટલે કે 22-25 વર્ષ માં યુવતી માટે બેસ્ટ ટાઈમ છે. જેથી મેરેજ પ્રોપર એન્જોય કરી શકો. ક્યારેક એવું લાગે કે કઈ અચીવ નથી કર્યું કે સ્ટેબલ નથી તો હું તમને કહીશ કે ફેમિલી અને ફ્રેંડ હોય જ છે સપૉર્ટ માં અને ગાઈડ કરવા
  • યુવક હોય તો ફેમિલી બિઝનેસમાં જોડાવાના હોવ તો તમારા માટે પણ 22-25 નો સમય બેસ્ટ જ છે.
  • જો જોબ કરી ને સેટ થયા પછી લગ્ન કરતા હોવ તો 25-27 વર્ષ નો સમય સૌથી બેસ્ટ છે સક્સેસફુલ થઈ ને મેરેજ કરવા:
  • સક્સેસફુલ થઈ ને મેરેજ કરવા એટલે આફ્ટર 30. અને એ કઈ ખોટું પણ નથી.પણ હું અહીં સજેસ્ટ કરું કે તમે 30 વર્ષ પેહલા મેરેજ કરો.પછી જે અચીવ કરવું હોય એ પણ કરી શકો.અને તમને તમારા

સ્પાઉસ નો સપોર્ટ મળે એ પણ ખૂબ મોટી એસેટ છે.

પહેલાના સમયમાં લગ્નની દુનિયા જુદી જ હતી.પહેલા લગ્ન થતા પછી પ્રેમ અને પછી બાળકો અને લગ્નજીવન ખાટી મીઠી યાદો થી ભરાઈ જતું. પણ હવે લગ્ન માટે ના પેરામીટર્સ બદલાઈ ગયા છે પેહલા સેટલ થવું અને પછી મેરેજ કરવા એમાં તો 30 વર્ષ થઈ જ જાય.

અહીં કેટલાક પ્રૉન્સ અને કોન્સ વિશે જાણીશું.

જો ઉંમર 22-27 હોય તો.

આ ઉંમર માં એજ્યુકેશન પતી જાય છે.અને કેરીઅર ની શરૂઆત કરતા હોવ તો આ ઉંમર માં તમે તમને ગમતા ફેમિલી માંથી બતાવેલી કે મેરેજ બ્યુરો માંથી સજેસ્ટ કરેલ પાર્ટનર સાથે લગ્ન માં જોડાઈ શકો. યુવતી માટે આ સૌથી સારો સમય છે અને યુવક જો સેટલ હોય ફાઇનાસીઅલી સેટ હોય તો લગ્ન માં જોડાઈ શકે.

 સેમ ઉંમર હોય તો સાયન્ટિફિકલી એવું કહેવાય કે યુવકની મેચ્યોરિટી મોડી આવે છે જો કે બધા યુવકો

માં આવું નથી હોતું

 ગમતા વ્યક્તિ હોય તો વેવ લેન્થ મળે,જે તમારા માટે અવેર હોય

 તમારી પાસે તમારા માટે જીવવાનો,મેરેજ લાઈફ એન્જોય કરવાનો,ફરવાનો, સોશિઅલ ગ્રુપ ડેવલપ કરવાનો પૂરતો સમય હોય, અને સાથે તમે કેરીઅર પણ ડેવલોપ કરી શકો.

જો ઉંમર 28- 30 હોય તો.

 30 વર્ષ સુધી કોઈ પણ યુવતી કેરીઅર માં સેટ થઈ ગઈ હોય પછી જો મેરેજ કરે અને પછી બેબી પ્લાન કરે તો એ વખતે તમે કેરીઅર માં લીધેલો બ્રેક તમે પાછળ પડી શકે છે.

 30 વર્ષ પછી યુવકો એકદમ સેટ હોય છે ફેમિલી સારી રીતે રન કરી શકે છે અને મેચ્યોર પણ હોય છે.

 આ ઉંમર માં યુવતી ની ફર્ટિલિટી ખૂબ સ્ટ્રોંગ હોય છે જેથી થોડો ટાઈમ મેરેજ લાઈફ એન્જોય કરી ને બાળક નું પ્લાંનિંગ પણ કરી શકો છો.

 યુવક પણ ખૂબ જ સારી રીતે સેટલ હોય છે અને એ ઘરની જવાબદારી લઈ શકે છે અને પોતાની વાઈફ ને મદદ પણ કરે છે.

જો ઉંમર 30-35 હોય તો.

 આ ઍજ માં યુવતી હવે એક સ્ત્રી હોય છે પોતાના કેરીઅરમાં,અને ફાઇનાન્સીયલી સિક્યોર હોય છે આ ઉંમર પર જે લગ્ન કરે છે એ યુવક પણ એક મેચ્યોર પુરુષ હોય છે.

 આ સમય માં સ્ત્રીઓ સમજી શકે છે કે એમને કેવા લાઈફ પાર્ટનર જોઈ એ છે.એમના માં શું ક્વોલિટી જોઈ છે..હું અહીં કહી શકું કે આ ઉંમર માં યુવતી ઓ જીવન સાથી તરીકે એવા યુવક ને પ્રિફર કરે છે કે જે ફાઇનાસીઅલી સ્ટોન્ગ હોય એની સાથે એનું ઈન્ટેલેક્ચ્યુઅલ લેવલ પણ સ્ટ્રોંગ હોય. આ ઉંમર માં યુવતી ઓ ખૂબ જ મેચ્યોરઅને સેલ્ફ ડિપેન્ડન્ટ હોય,ઘર અને ફેમિલી ને બેલેન્સ કરી શકે છે.આ ઍજ માં લગ્ન પછી તરત જ બાળકો નું પ્લાંનિંગ કરવું ખૂબ યોગ્ય છે કેમ કે હવે ફર્ટિલિટી ના પ્રોબ્લેમ્સ ની શરૂઆત થાય છે.

જો ઉંમર 35-40 હોય તો.

આ સમય માં લગ્ન કરનાર યુવક યુવતી ને ” Late Bloomers ” કહેવાય છે. આ લોકો માટે પોતાનું કેરીઅર અથવા પોતાનું એન્જોયમેન્ટ મહત્વ હોય છે,

 જો આ ઉંમર માં 1st મેરેજ હોય તો એ લાઈફ લોન્ગ જ હોય છે

 આ ઉંમર માં બંને પોતાના લાઈફ પાર્ટનર નું પૂરું ધ્યાન આપે છે.

 તમારું ફેમિલી પણ તમારા લગ્ન થી ખુશ હોય છે.

 35 વર્ષ પછી લગ્ન માં ફર્ટિલિટી ના પ્રૉબ્લેમ્સ હોય છે – બાળકો થવામાં પ્રોબ્લેમ્સ રહે છે

જો ઉંમર 40-45 હોય તો.

 આ ઍજ માં લગ્ન કરતા યુવક યુવતી મોટાભાગે ખૂબ જ ઇંડિપેંડંટ હોય છે.સ્ટ્રોંગ કેરીઅર, મેચ્યોર ,મેન્ટલી અને ફાઇનાન્સીયલી સ્ટ્રોંગ હોય છે.

 આ ઍજ માં મેરેજ કરતા મોટાભાગના લોકો બાળક નથી લાવતા. એમને બસ શાંતિ અને એક સારા કંપેનિઅન ની જરૂર હોય છે.

 આ એજ માં જીવનસાથી તરીકે ડાયવોર્સી ,વિધવા કે વિધુર મળે એવી શક્યતા ઓ વધારે રહેલી છે.

આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવ જરૂર આપશો.

ફરી મળીશું જલ્દી એક નવા અને રસપ્રદ વિષય સાથે…

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

કેવા રિલેશનશિપમાં બ્રેકઅપ થાય છે

“શ્રી નાથજી સત્ય છે”

હંમેશા લાઈફલૉંગ રિલેશન એવી વ્યક્તિ સાથે થાય જેની સાથે તમને વાતો કરવાનું ગમે, તમારી દરેક વાતો કહેવાનું અને એમની દરેક વાતો જાણવાનું મન થાય, ઇમોશનલી જોડાવાનું ગમે, અને એની સાથે જ તમને પ્રેમ થાય. જ્યારે આવી વ્યક્તિ મળી જાય ત્યારે સ્વર્ગ માં હોઈ એ એવી ફીલિંગ આવે પણ જ્યારે સાથે રહેવાનું થાય અને કંઈક તકલીફ થાય અને એનું રિપીટેશન થયા કરે ત્યારે તમારે  તમારા વિચારોમાં ક્લીઅર થવું પડશે. તમારે તમારી જાત ને શોધવી પડશે, તમારી લાઇકીંગને અનકવર કરશો તો જ પોતાની જાત ને સારી રીતે ઓળખી શકશો

તમારો પર્સનલ ગ્રોથ અટકતો હોય ,સંબંધો માં સ્ટ્રેસ રહેતો હોય, એકબીજા ની કંપની સ્ટ્રેસ આપતી હોય તો  આ બધા સિમ્પટમ્સ  છે અટકવાના

Break-Up

તો જોઈએ ક્યાં અટકવું:

1. આપણે બઉ સારા ફ્રેંડ્સ છે

એકબીજા ની કંપની ગમતી હોય, વાતો કરવું, ફરવું,વિગેરે. કોઈ પણ પ્રેમ સંબંધો ની શરૂઆત ડ્રગ જેવી હોય છે. એક બીજા વગર ના ચાલે, એકબીજા વગર ના ગમે, અને સંબંધો માં પેશન હોય અને આ પેશન લાઈફટાઈમ મેન્ટેન કરવું ખૂબ જ અઘરું છે.અને આ પેશન જતું રહે તો એ ક્યારે પણ પાછું ન આવે અને તમે મુંઝવણ માં મુકાઈ જાઓ કે આ શું થઈ રહ્યું છે.બધી લાગણીઓ પ્રેમ નું બાષ્પીભવન થતું લાગે. જેને હું ઓળખું છું, જાણું છું, સમજુ છું એ આવું કરે? કેમ કરે છે આવું… વિગેરે તમને કોરી ખાય, તમને સમજે પણ સમજાવી ના શકે, અને એની સંબધો માટેની શુષ્કતા શરૂ  થાય અને તમને બ્રેકઅપ તરફ લઈ જાય. હું તમે કહીશ કે તમે બઉ સારા ફ્રેન્ડ્સ બની શકો પણ જીવનસાથી ન બની શકો.

2.આપણે એકબીજાથી સાવ જુદા છે.

ઘણી વખત આપણે એવા લોકો ને જોઈ એ છે જે એકબીજા થી સાવ જુદા હોય. એક એકદમ પર્ટિક્યુલર હોય ,સિરિયસ હોય, વર્કોહોલિક અને બીજી વ્યક્તિ  ફલૉ સાથે જીવતી હોય. અને એની સાથે જ આગળ વધતી હોય. એક કહેવત છે કે ઓપોઝિટ એટ્રેક્ટ… અને લાઈફ માં પણ મજા હોય.પણ જો આ પર્સનાલીટી માં ડિફરન્સ ઓફ ઓપિનિયન ખૂબ જ વાઈડ થઈ જાય તો એકબીજા ની સાથે રેહવું અઘરું થઈ જાય, આવા વખતે ખાલી ખાલી ખેંચાઈ ને રહેવા કરતા એકબીજા સાથે પૂરું કરવું વધારે યોગ્ય છે.

3.ફાઇનાન્સીઅલ મિસ મેચ.

જ્યારે એક પાર્ટ્નર રિચ હોય અને બીજા મિડલકલાસ હોય તો ખૂબ જ પ્રોબ્લેમ્સ થાય છે. રિચ હોય તો ફરવું, હરવું, જલસા કરવા અને એક્સટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવા માટે ટેવાયેલા હોય અને મિડલ કલાસ હોય એ ખૂબ જ સાચવી ને ,વિચારી ને વિચારી ને જીવતા હોય એમાં જો પ્રેમ સંબંધ બંધાય તો એમના મતભેદ અને મનભેદ એમને બહુ ડિસ્ટર્બ કરે છે કોઈ પણ પોતાને ડાઉન સ્કેલ નથી થવા દેતું આ વખતે હું કહીશ કે તમે બંને એકબીજા માટે નથી બન્યા.

4.જો પ્રેમ ની અસમાનતા હોય તો.

જો તમે બંને એકબીજાની સાથે હોવ, એકબીજા ને સમજવાનો પ્રયત્ન કરતા હોવ એ સમયે જો કોઈ એક વધારે પ્રેમ કરતું હોય અને બીજા ઓછો ત્યારે ખૂબ જ પીડા થતી હોય છે.પ્રેમ મોટાભાગે સરખો જ હોય. કોઈ વ્યક્તિ જો પ્રેમ ઓછો બતાવે ત્યારે એવું લાગે કે એની સાથે કેમ જીવાશે? એની સાથે જીવવું , રહેવું  ખૂબ જ અઘરું બની જાય છે અને એ ખૂબ જ પીડા દાયક છે. ઓળખો એક બીજા ને, અને પ્રેમ માં અસમાનતા લાગે તો ત્યાંથી જ એકબીજા ને બાય બાય કહી દો.

5.ફિઝિકાલિ અને ઇમોશનલી અબ્યુઝ થાવ ત્યારે.

જ્યારે તમારા પાર્ટનર તમને ફિઝિકાલિ અને ઇમોશનલી અબ્યુઝ કરે ત્યારે તમારું દિલ ખૂબ જ હર્ટ થાય છે. જો તમારા સંબંધો એબ્યુઝ થાય છે તો હું કહીશ કે તમે છેડો ફાડી ને આગળ વધો, જાગ્યા ત્યાંથી સવાર.

6.પાર્ટનર ચિટ કરે ત્યારે.

ક્યારેક એવું બને, કે તમને ખબર પડે કે તમારા પાર્ટનર ના મનમાં કોઈ બીજી વ્યક્તિ છે પણ એ તમને ચિટ કરે, તમારાથી છુપાવે, તમને જૂઠી વાત જણાવે ત્યાંરે શાંતિ થી વાત કરો અને કોઈ રસ્તો કાઢો. જો કઈ રસ્તો ના દેખાય તો શાંતિ થી છુટા પડો.આ સંબંધ હવે પ્રેમ થી આગળ ના વધી શકે.

7.ફેમિલી અને ફ્રેન્ડસ નો સપોર્ટ ન હોય.

હંમેશા ફેમિલી કે ફ્રેંડ્સ તમારા રિલેશન્સના  સપોર્ટ માં હોય જ. પણ જો કોઈ જ તમારી સાથે ન હોય તો ચેક કરો,તમારું મન પણ તમને આગળ વધવાની ના પડતું હોય તો આવા સંબંધો માં ખોટા ન ખેંચાવ અને આગળવધતા અટકી જાવ.

હજુ બીજા ઘણા પોઈન્ટ છે જેવા કે

 બધી જ વાત માં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતા હોય

 જ્યારે એકબીજા ની કોઈ જ વાતો ના ગમે

 જ્યારે એક બીજા થી ખુશ જ ના હોવ

 રીપીટેડલી જૂઠું બોલવામાં આવતું હોય

આવા અનેક કારણો થી સંબંધો માં તિરાડો પડે છે અને એ સંબંધો આગળ વધારવા કરતા અટકી જવું વધુ સારું છે.

ફરી મળીશું એક નવા વિષય સાથે…
ત્યાં સુધી અમને આપણા પ્રતિભાવો જણાવશો.
જો આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

લગ્ન ના નામે થતી છેતરપિંડી અટકાવવા ધ્યાન માં રાખવાના જેવી બાબતો.

“શ્રી નાથજી સત્ય છે”

લગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા ધ્યાન માં રાખવાના જેવી બાબતો.

cd image.jpg

લગ્ન કરવા યોગ્ય યુવક યુવતી માટે લાઈફ પાર્ટનર ની શોધ ફેમિલી મેમ્બર્સ મિત્રો ,સગા સંબંધીઓ ને કહેવાકરતા મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટ્સનો વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી કરી ને વધુ ચોઈસ મળે.જો ત્યાં વિશ્વાસુ અને વેરીફાય કરેલા ડેટા બેઝ હોય. પરંતુ આજકાલ લગ્ન ને એક બિઝનેસ બનાવી દેવાયો છે

જ્યાં લગ્ન ના નામ પર લૂંટ ,ચીટીંગ અને ફ્રોડ થાય છે, સાથે માનસિક અને શારીરિક હેરાનગતિ થાય એ અલગ.લગ્ન એ આખી જિંદગી નો સવાલ છે એમાં અખતરા ના કરાય. એમાં જેનો સારો રેફરંસ હોય કે જેનું કામ સારું અને વિશ્વાસુ હોય એવા- હું કહીશ કે રજીસ્ટર્ડ અને ટ્રસ્ટેડ મેરેજ બ્યુરો કે વેબ સાઈટ પર જ રજીસ્ટર કરવો.અને સૌથી અગત્યનું ગમતા પાત્ર ના અમુક ડોક્યુમેંન્ટસ ચેક કરવાનું રાખો.

ક્યા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે ચેક કરવા:

જ્યારે તમે મેરેજ બ્યુરો કે મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી લાઈફ પાર્ટનર પસંદ કરો ત્યારે તમે બંને જો એકબીજા માટે અજાણ્યા હોવ તો જરૂરી બને છે કે લગ્ન નું ડિસિઝન લેતા પેહલા તમે 4-5 મિટિંગો કરો જેથી એક બીજા ને સારી રીતે ઓળખી શકો, ફિઝિકલી મેચ ની સાથે મેન્ટલી મેચ પણ ખૂબ અગત્યનું છે.

બંને ફેમિલી ને પણ ગમતું હોય, તો પણ ફ્રેંડ્સ સર્કલ, હોબી, અને બીજું ઘણુંબધું જાણવું જરૂરી છે. આ બધું બરાબર લાગે અને તમને એક બીજા માટે યોગ્ય લાગે તો અમુક ઈમ્પોર્ટન્ટ વિગતો જાણવી ખૂબ જ જરૂરી છે.

અમુક ચોકસાઈ રાખવાથી તમે ફ્રોડ કે ચીટિંગ થી બચી શકો.

1) ડિગ્રી સર્ટિફિકેટ:

જે તે વ્યક્તિ નું એજ્યુકેશન જે સબ્જેક્ટ માં હોય તેનું સર્ટિફિકેટ ચેક કરો.કઈ યુનિવર્સીટી છે? કઈ શાખા છે? કયા ગ્રેડ સાથે પાસ થયા છે એ જાણો.

2)ગવર્મેન્ટ આઈ ડી કાર્ડ:

જો વ્યક્તિ ગમતી હોય તો પણ ચેક કરો એનો ગવર્મેન્ટ આઈ ડી કાર્ડ જેથી એ વ્યક્તિ યોગ્ય જ છે ને, અને કોઈ બહુરૂપી નથી, જે ખાલી ટાઈમ પાસ કરતી હોય કે ફક્ત તમને છેતરવાનો ઈરાદો ધરાવતી હોય.

3)રેસિડેન્ટ પ્રૂફ:

જે તે વ્યક્તિ એ જણાવેલ અડ્રેસ ચેક કરવા એમના ઘર ની મુલાકાત લો . ચેક કરો કેટલા ટાઈમ થી ત્યાં રહે છે? એ પોતાનું ઘર છે કે પછી રેન્ટેડ છે? વધુ જાણવા પાડોશી ને પણ પૂછી શકો જેથી એમના વ્યવહાર ની પણ ખબર પડે.

4)વર્ક પ્રુફ:

જે તે વ્યક્તિ જણાવેલી કંપની માં જોબ કે બિઝનેસ કરે છે? અને જે પોસ્ટ કીધી છે એજ પોસ્ટ પર છે કે કેમ? એ પણ છે કરાવવું ખૂબ જ જરૂરી છે.

5) ફોટોસ:

ફોટોસ જોઈ ને મોહી પડતા લોકો હંમેશા દુઃખી જ થાય છે.અને આજકાલ તો નવી નવી એપ્લિકેશન્સ આવી છે જેનાથી તમે તમારા ફોટા માં ખૂબ બધું એડિટ કરી શકો. આથી ફોટા થી નહી પરંતુ રૂબરૂ મળી ને જ નક્કી કરો.

6)ડિવોર્સ કેસ હોય ત્યારે:

જ્યારે બીજા લગ્ન કરતા હોય અથવા જે વ્યક્તિ તમને ગમે છે એના ડિવોર્સ થયા હોય તો એમના ડિવોર્સ પપેર્સ ચેક કરો. એમાં જણાવેલ રીઝન અને તમને કહેલા રીઝન ની ચકાસણી કરો. જરૂર પડે તો ખુલ્લા મને ચર્ચા કરો. જેથી પાછળ થી કોઈ પ્રોબ્લેમ ન થાય.

7) વિધવા કે વિધુર સાથે લગ્ન કરતા હોવ ત્યારે:

વિધવા કે વિધુર સાથે લગ્ન કરતા હોવ ત્યારે એમના એક્સ પાર્ટનર નું ડેથ સિર્ટીફીકેટ ચેક કરો.

8)મેડિકલ હિસ્ટ્રી:

આજે ખૂબ જરૂરી છે જાણવું કે જેની સાથે તમે લગ્ન કરવા માંગો છો એની કોઈ પણ મેડીકેલ હિસ્ટ્રી છે? કોઈ પણ ફિઝિકલ કે મેન્ટલ હેલ્થ ના કોઈ ઇસ્યુઝ છે? કોઈ દવાઓ લાંબા ટાઈમ થી લે છે? આ સિવાય લગ્ન કરનાર દરેક યુવક યુવતી એ લગ્ન કરતા પેહલા અમુક ચેક અપ કરાવવું ખૂબ જ જરૂરી છે. કદાચ કોઈ બીમારી હોય તો એ પેહલા ખબર પડી જાય. જેવી કે થેલેસેમિયા, AIDS.

ક્રાઇમ હિસ્ટ્રી પણ જાણવી જોઈએ.

નાની નાની ચોકસાઈ રાખવાથી જીવન માં મોટા મોટા પ્રોબ્લેમ્સ થી બચી શકાય.અને છેતરામણી નો ભોગ બનવાથી બચી શકાય છે.

Be careful and Be safe .

આ સાથે આ વિષય પર થયેલી સંદેશ ચેનલ પર ની મારી ડિબેટ લિન્ક પણ પોસ્ટ કરી છે.જેથી તમને વધુ વિગતે આ વિષયની જાણકારી મળી શકશે.

આ આર્ટિકલ અને ગમ્યો હોય તો આપના સૂચનો જરૂર આપશો.

મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ.

એ રોમાંચક પહેલી મુલાકાત…પણ ધ્યાન માં રાખજો આ વાત…

શ્રી નાથજી સત્ય છે

જ્યારે તમે અરેન્જ મેરેજ કરવા જઈ રહ્યા છો એ વખતે તમારા માટે મેરેજ બ્યુરો ઘ્વારા,ફેમિલી,ફ્રેંડ,કે રિલેટિવ

ઘ્વારા મિટિંગ ગોઠવવામાં આવે છે. આ મિટિંગ તમે અજાણી વ્યક્તિ સાથે કરો છો એ વખતે થોડો સ્ટ્રેસ, થોડું ટેંશન હોય

ત્યારે તમે કેવી રીતે ,ક્યા ટોપિક પર વાત કરશો અને એ પણ પોઝિટિવ નોટ સાથે એ ખૂબ જ અગત્ય નું છે.

ક્યારે ય પણ મિટિંગ માં કલુ લેસ હોવ એ તમારી ઇમ્પ્રેશન બગાડશે. તમે તમારી ઈચ્છા થી મિટિંગ માં આવ્યા છો

કોઈ ફોર્સ થી નહી. એટલે તમારી પાસે વાત કરવાના વિષયો હોવા જ જોઈ એ અને એ પણ એવા જેથી તમે બંને

એક બીજા ને સારી રીતે સમજી શકો.

હું તમને અહીં થોડી ટિપ્સ આપું જે તમને “વો પહેલી મુલાકાત” ફર્સ્ટ મિટિંગ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માં હેલ્પ કરશે.

13427798_1118221168235983_2401026225727674995_n

સ્ટાર્ટ વિથ પોઝીટીવ કોન્વર્સેશન. .

હંમેશા કોમ્પલીમેંટિંગ વાત થી શરૂઆત કરો, જેમ કે તમારું ઘર સરસ છે,તમારા પેરેન્ટ્સ નો નેચર સારો છે.વિગેરે…

MEETING SHOULD BE કોંવેર્સાશન, AND NOT AN ઇન્ટરવ્યૂ.

તમારી આ મિટિંગ પર તમારા ફયુચર નો આધાર છે, જેથી મિટિંગ એ સારા અને પોઝિટિવ વિચારોનું કોન્વર્સેશન હોવું જોઈએ..સામે વાળા ને એ ઇન્ટરવ્યૂ ન લાગવું જોઈએ એનું ધ્યાન રાખજો.અને વાતચીત દરમિયાન એકબીજા ને
લાઈટ મૂડમાં રાખવા માટે સ્માઈલ કરો.

KNOW EACH OTHER WHAT YOU BOTH ENJOY MOST

વાતચીત માં એકબીજા ની હોબી, લાઈકીંગ્સ જાણવાની કોશિશ કરો.જો એને વાંચવાનો શોખ હોય તો એ શું વાંચે છે.,ફરવાનો શોખ હોય તો એ કેવી જગ્યા એ ફરવા જવાનું પસંદ કરેછે .કેવું ફૂડ પસંદ છે? વિગેરે જાણવા નો પ્રયત્ન કરો.

KNOW THE LIFE STYLE

એમની LIFE STYLE જાણવા એમના ફ્રેંડ્સ ને ઓળખો, હોબીઝ જાણો, ફેમિલી વૅલ્યુઝ સમજો. સ્પિરિટયુઅલ વિચારોજાણો. ફ્રી સમય કેવી રીતે સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે એ જાણો.

VIEW FOR CAREER AND FUTUR PALN.

હમણાં જે વ્યવસાય માં છો તેમાં ભવિષ્ય નો શું પ્લાન છે? જોબ માં આગળ વધશો કે બિઝનેસ કરશો? ઇન્ડિયા માં તમારાંએજ્યુકેશનનું ફયુચર છે કે ફોરેનમાં ? હાઉસ વાઇફ રહેવાનું પસંદ છે કે જોબ કરવી છે.પ્રોફેશનલ અને પર્સનલ ગોલ્સ વિશે વાતો કરો. જો વધારે COMFORBLE હોવ તો સિરિયસ ટોપિક્સ પર પણ વાત કરી શકો.

એમના જીવનસાથી માટે ના વિચાર જાણો.

જીવનસાથી પાસે ની અપેક્ષા શું છે એ જાણો. જાણો એ વ્યક્તિ મેરેજ કરવામાટે મેન્ટલી પ્રીપેર છે? કોનું ઇમ્પોર્ટન્સ છે એમના જીવન માં વધુ એ જાણો. ઇન્ડિયા માં મેરેજ એ બે વ્યક્તિ ના નહી પરંતુ બે ફેમિલી ના થાય છે. મિટિંગ માં જાવ ત્યારે સામે વાળા શું વાત કરે છે એ શાંતિ થી સાંભળો, સમજો, ઉતાવળ ના કરો.તમને અને તમારા ફેમિલી ને કેવી રીતે ટ્રિટ કરે છે એ પણ ખૂબ ઈમ્પોર્ટન્ટ છે.

જતા જતા HAMESHA એક પોઝિટિવ નોટ મુકો જેમ કે

“IT’S NICE TALKING WITH YOU”

IT’S PLASURE KNOWING EACH OTHER”

જેથી કરી ને જ્યારે બંને ફેમિલી એક બીજા માટે પોઝિટિવ હોય તો બીજી મીટિંગ્સ ની સ્પેસ રહે. બધું પોસેટિવ લાગે તો બીજી ત્રીજી વાર મળો.ફોન નંબર આપો અને વાતો કરો. કેમ કે એક મિટિંગ જીવનસાથી ની પસંદગી માટે પૂરતી નથી.

આજનો આર્ટિકલ તમને ગમ્યો હોય તો ચોક્કસ તમારો અભિપ્રાય અને સૂચનો આપજો એવા આગ્રહ સાથે…

ફરી મળીશું આજ દિવસે, આવતા અઠવાડિયે, એક નવા જ વિષય સાથે.

 

HAPPY WEEK AHEAD …

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

કેવી રીતે જાણશો કે તમારા પ્રિય વ્યક્તિ તમને પ્રેમ કરે છે?

“શ્રી નાથજી સત્ય છે”

કેવી રીતે જાણશો કે તમારા પ્રિય વ્યક્તિ તમને પ્રેમ કરે છે?

તમે જેને પ્રેમ કરો છો એ  વ્યક્તિ તમને પ્રેમ કરે છે, તમારી કેર કરે છે ઍ જાણવુ ખૂબ અઘરૂ છે. અને જ્યારે ઍ પ્રેમ નો ઍકરાર ઍટલે કે “I LOVE YOU” નથી કહેતી ત્યારે ખૂબ જ અઘરૂ થઈ જાય છે.

પ્રેમ નો મતલબ દરેક માટે જુદો જુદો છે. અને ઍને વ્યક્ત કરવાના રસ્તા પણ જુદા જુદા છે. જો ધ્યાન થી ઍમની આક્ટિવિટી પર નજર રાખો તો તમને ખ્યાલ આવી જશે.

અહીં થોડી ટીપ્સ આપુ છુ જેનાથી થોડો ખ્યાલ આવી શકે કે તમે જેને પ્રેમ કરો છો ઍ તમને પણ પ્રેમ કરે જ છે.

13411946_1121760471215386_8991643185710977806_o

૧. તમે જે ડિઝર્વ કરો ઍ રીતે તમને ટ્રીટ કરે.
સારી વ્યક્તિ સારી રીતે જ ટ્રીટ કરે. ઍ તમારી જરૂરીયાત, લાગણી, ઈચ્છાઓને ધ્યાનમા રાખીને તમને ટ્રીટ કરશે. તમારા ધ્યેયને પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરશે . તમારી હેલ્થ નુ ધ્યાન રાખશે. તમારા પરીવાર અને મિત્રો સાથે ખૂબ સારી રીતે વાત કરશે.

૨. તમને પ્રાયૉરિટી આપે.
તમારા વિષે અને તમારા ફ્યુચર વિષે વિચારે. સુખ,દુખની વાત મા તમને સૌથી પેહલા યાદ કરે. તમારા ઑપીનિયન નુ મહત્વ હોય.

૩ સંબધને વિશ્વાસથી ટ્રીટ કરતા હોય.
તમારી સાથે વફાદાર હીય, તમારી સાથે ના સંબંધ માટે એ બેસ્ટ વિચારતા હોય. તમારા પ્રૉબ્લેમ્સ ને સૉલ્વ કરવા માટે તત્પર હોય. તમારી સાથે ના સંબંધ નીભાવવા ઍ બધા સાથે ફાઇટ આપવા તેયાર હોય અને તમને હંમેશા ખુશ રાખે.

૪. તમારી કેર કરે.
જે તમને પ્રેમ કરતા હશે એ તમારા સારા કે ખરાબ સમય મા તમારી સાથે જ રેહશે. તમારા દરેક ડીસિઝન મા તમને સપોર્ટ કરશે. તમને સેફ ફીલિંગ આપે. જ્યારે કોઈ પ્રોબ્લેમ મા હોવ ત્યારે તમારા વિષે વિચારે, તમને મદદ કરે, સાચુ ગાઇડન્સ આપે અન સારા વ્યક્તિ બનવા પ્રેરણા આપે.

૫. તમારા માટે સમય ન જૂઍ.
હમેશા તમારી સાથે રેહવા તત્પર હોય. તમને જોયા વગર વધારે રહી ના શકે . તમને જરૂર હોય ત્યારે હાજર ના હોય તો ફોન કરી ને વાત કરે કે તમને બોલાવે. ઍનો મોટાભાગનો સમય એ તમારી સાથે વિતાવવાનુ પસંદ કરે.

ટૂકમા આવુ અને બીજુ ઘણુ બધુ એવૂ કરે કે ઍ તમને સાચવે છે એનાથી જ ખ્યાલ આવે અને તમને ઍનો પ્રેમ દેખાઈ આવે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમારા અણમોલ સૂચનો ચોક્કસપણે આપશો.
I appreciate your comments.

જલ્દી મળીશું નવા વિષય સાથે
ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

લગ્ન કરવા માટે કેવી રીતે માનસિકતા કેળવશો?

“શ્રી નાથજી સત્ય છે”

લગ્ન કરવા માટે કેવી રીતે માનસિકતા  કેળવશો?

 લગ્ન કરવા એ જીવન નો સૌથી મોટો ને અગત્ય નો નિર્ણય છે.જે માં તમે અજાણી વ્યક્તિ ને ઓળખવાની (ગમે તેટલા નજીક હોવ તો પણ કોઈ ને ઓળખી નથી શકાતું) એની સાથે આખું જીવન વિતાવવાનું,સુખ ,દુખ,પ્રેમ,લાગણી,ચિંતા નું શેરીંગ કરવાનું. તો એ વ્યક્તિ ને, એકદમ નજીક ની વ્યક્તિ ને શોધવાનું અને એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થવાનું પણ એટલું જ અઘરું છે.

couple clipart

 લગ્ન એ મજાક નથી પણ ખોટા વિચારો થી યુવક કે યુવતી ખોટી દિશા માં ગુચવાઈ જાય કે ટેન્શન માં આવે એ ના થાય એ માટે
લગ્ન માટે ની માનસિકતા નક્કી કરી લો અથવા કેળવી લો જેથી તમારું લગ્ન જીવન સ્મૂથ અને સરળ રહે.

 ચાલો જોઈએ થોડા પોઈન્ટ્સ જે તમને હેલ્પ કરશે, લગ્ન માટે માનસિક તયારી કરવામાં.

 ૧. તમારી જાત ને પૂછો.

 તમે તમારી જાત ને સૌથી સારી રીતે ઓળખો છો તો તમારી જાત ને જ પૂછો કે તમે લગ્ન કરવા તૈયાર છો?

ક્યારેય પણ પેરન્ટસ ના કે રીલેટિવ્સ ના પ્રેશર માં ના આવો, કેમ કે આખી જિંદગી તમારે જીવવાની છે. અને આ તમારી જિંદગી નો સવાલ છે. તમારી જાત સાથે ઓનેસ્ટ રહો.

 ર. જીવન ના ગોલ્સ નક્કી કરો

જીવન માં શું બનવું છે? શું કરવું છે? કેવી રીતે જીવવું છે એ નક્કી કરો. તમને તમારી મહત્વાકાંક્ષા માં મદદ કરે, પ્રેરણા આપી શકે, ખભા થી ખભો મિલાવી શકે એવો જીવન સાથી જોઈએ છે? એ નક્કી કરો. જે વ્યક્તિ ને મળો એની સાથે ભવિષ્ય ના પ્લાન્સ ની  ચર્ચા  કરો, પછી નક્કી કરો કે એ વ્યક્તિ સાથે લગ્ન જીવન જીવી શકાય કે નહી?

 ૩.COMPATIBILITY   ચેક કરો.

જીવન સારી રીતે જીવવું હોય તો એકબીજા ની સાથે નો મનમેળ હોવો ખુબ જ જરૂરી છે. નહીં તો આખી લાઈફ એકબીજા ની સાથે એડજેસ્ટ કરવામાં જ નીકળી જાય. તો ચેક કરો કે મનમેળ વિચારો માં, લીવીંગ સ્ટેન્ડર્ડઝ માં, સ્પિરિચ્યુઅલ બીલીવ્સ માં, તમે અને એ એકજ વેવ લેન્થ પર છો.

 ૪ ભૂતકાળ ભૂલી જાવ

ભૂતકાળ ને સાથે રાખી ને, મન માં રાખી ને કંઈ નથી મળવાનું. જુના સંબંધો હવે પુરા થયા એ ને ભૂલી જાવ, ભૂતકાળ ના સાથી ની સરખામણી, થનાર જીવનસાથી સાથે ક્યારે પણ ના કરો. અને થનાર જીવનસાથી પર ફોકસ  કરો.

જલ્દી મળીશું નવા વિષય સાથે

ચાંદની દલાલ
મેરેજ કન્સલ્ટન્ટ

તમારા જીવનસાથી નો વિશ્વાસ કેવી રીતે જીતશો?

“શ્રી નાથજી સત્ય છે”

 

વેડિંગ ટીપ્સ:-

couple-307924_960_720

તમારા જીવનસાથી નો વિશ્વાસ કેવી રીતે જીતશો?

પ્રેમ,લાગણી,આકર્ષણ એ બધાથી પણ ઉપર છે વિશ્વાસ-જે પતિ -પત્ની ને જોડી રાખે છે,લગ્નજીવન મજબુત બનાવે છે.

વિશ્વાસ કરવો,અને વિશ્વાસ લાયક બનવું એમાં જમીન આસમાન નો ફર્ક છે.વિશ્વાસ જાળવવો અને એને મજબૂત કરવો એક લાઇફ લોંગ  પ્રોસેસ છે. એમાં પ્રેમાળ એફોર્ટ મુકવા પડે છે.

કોઈ એ કહ્યું છે કે: “To be trusted is a greater compliment than being loved”

ચાલો થોડી ટીપ્સ જોઈ એ જે તમને તમારા જીવનસાથી નો વિશ્વાસ જીતવામાં મદદ કરશે.

ચીટીંગ ના કરો:

તમારા જીવનસાથી સાથે ક્યારે પણ ચીટીંગ ના કરો.સાચી હકીકત સામે આવે ત્યારે લગ્ન જીવન ડામાડોળ થઇ શકે છે.

ચીટીંગ કરવાથી તમે તમારા જીવનસાથી ના મન પર થી ઉતરી જશો અને ઈમેજ બગડી જશે

એક્સટ્રા મેરીટલ અફેર અને  અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધો રાખવા એ સૌથી મોટું ચીટીંગ છે એનાથી દુર રહો.

જુઠું ના બોલો:

નાની નાની વાતો માં જુઠું ના બોલો.નાની વાતો કે ક્યાં જાવ છો થી લઇ ને મોટી વાતો જેવા કે finance પ્રોબ્લેમ , પ્રોબ્લેમ history જેવી important બધી જ વાતો શેર કરો. જેથી તમારા સાથી ને લાગશે કે એ તમારી નજીક છે અને તમારા પ્રોબ્લેમ એના પણ છે એવું સમજશે.

શાંત રહો:

તમારા કામ ના દબાણ ક ઓફિસ ના પ્રોબ્લેમ્સ ને ઘરે ના લાવો અને કદાચ વધારે અકળામણ હોય તો એક ફ્રેન્ડને જેમ કેહતા હોવ એમ જીવનસાથી ને તમે બધી વાત કરો અને કોઈ એમનો યોગ્ય સુઝાવ હોય તો અમલ માં પણ મુકો. તમે અશાંત રેહશો તો તમારા જીવનસાથી ને અકળામણ થશે અને એને ખોટા વિચારો આવશે અને એનો તમારા પર નો વિશ્વાસ પણ ડગમગવા લાગશે. એટલે હમેશા હસતા રહો અને વધારે તકલીફ હોય તો વાત કરી મન હલકું કરો.

આર્ગ્યુમેન્ટ ન કરો:

વાત થઇ શકે, ચર્ચા પણ થઇ શકે, પણ આર્ગ્યુમેન્ટ ન કરો. આર્ગ્યુમેન્ટ એ ફક્ત લડાઈ કે ડીસ્ટર્બ થવાની કે કરવાની કળા છે (એ મારો મત છે)આક્ષેપો  થાય ,દલીલો થાય, ગાંડી ભાષાઓ કે શબ્દો ને લીધે દિલ દુખે,સંબધો માં કડવાશ આવે,વિશ્વાસ તૂટે .બને ત્યાં સુધી  પ્રેમાળ શબ્દોથી  જ કામ લો.

એબ્યુઝ ન કરો:

જીવનસાથી ને ક્યારે પણ ફીઝીકલી ક મેન્ટલી એબ્યુઝ ના કરો, નહિ તો એ ક્યારેય પણ તમને માફ ના કરી શકે. ક્યારે પણ એના પેરેન્ટ્સ કે ભાઈ બહેન માટે ગમે તેવી ભાષા ના વાપરો.(રીસ્પેક્ટ આપો અને લો –ગીવ એન્ડ ટેક ની પોલીસી અપનાવો )

પીઠ પાછળ ના બોલો:

કોઈ પણ સર્વગુણ સંપન્ન નથી.તમારા માં પણ કંઈક ખામી છે જ, તો તમારા જીવનસાથી માં પણ કંઈક ખામી હોય શકે છે. તમારા જીવનસાથી ની પીઠ પાછળ ક્યારે પણ એમનું ખરાબ ના બોલો.એમની ડાર્ક સાઈડ વિષે તમારા મિત્રો, ફેમીલીને ના જણાવો.એના કરતા શાંતિ થી શે બેસી ને એ વાત પર ચર્ચા કરો અને એને સુધારવાનો પ્રયત્ન કરો.

જીવનસાથી ની વાતો શાંતિ થી સાંભળો અને સમજો.

હમેશા જીવનસાથી સાથે જીવન ના દરેક નિર્ણય માં સહકાર માટે એના વિશ્વાસ ની જરૂર પડે છે પછી એ પતિ હોય કે પત્ની તો હમેશા એકબીજા નો વિશ્વાસ જીતો અને પ્રેમ થી જીવો .

“Without trust world become the hollow sound of wooden gong, with trust world become like a life itself.“ so be trustworthy and happy forever.

જલ્દી મળીશું નવા વિષય સાથે

ચાંદની દલાલ

મેરેજ કન્સલ્ટન્ટ.

ઈન્ટરકાસ્ટ મેરેજ

“શ્રી નાથજી સત્ય છે.”

ઈન્ટરકાસ્ટ મેરેજ:

intercaste marriage

લગ્ન કરવા ઈછતા યુવક કે યુવતી ને જો પુછવમાં આવે કે કેવો લાઇફ પાર્ટનર જોઇઍ? તો જવાબ કૈંક આવો મળે—જેમનુ ઍજયુકેશન લેવલ સારુ હોય,જોબ કે બિજ઼્નેસ મા સ્ટેટસ સારુ હોય,હૅંડસમ કે બ્યૂટિફુલ હોય અને મૅચ્યોર હોય, બસ.

 હવે અહીં કયાંય પણ કાસ્ટ કે .રિલિજીયન ની વાત નથી આવતી .જો ફૅમિલી સપોર્ટ કરે તો યૂવક ,યુવતી ઈન્ટરકાસ્ટ મૅરેજ કરે જ છે.

આપણા વડીલો ઍમ માને છે કે સેમ કાસ્ટ મા મૅરેજ કરવાથી આપણા દીકરા કે દીકરી સારી રીતે ઍમના સાસરા માં સારી રીતે ગોઠવાઈ જાય અને ઍમની મૅરેજ લાઇફ સ્મુધ જાય અને જો પ્રૉબ્લેમ્સ આવે તો સમાજ ના અગ્રણી કે વડીલો મારફતે પ્રોબ્લેમ સૉલ્વ કરી શકાય.

આજના પેરેન્ટસ ઓપન માઇંડેડ થઈ રહ્યા છે અને પોતાના દીકરા કે દીકરી ની ખુશી માટે ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજન મૅરેજ માટે તૈયાર થઈ રહ્યા .છે. પછી એ લવ મૅરેજ હોય કે એરેંજ.

 ચાલો જોઈશુ ઇંટર કાસ્ટ મૅરેજ ના Advantages and Disadvantages :

 Advantages:

૧:-ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ માં પાર્ટનર્સ એકબીજા ને સારી રીતે ઓળખતા હોવાથી એક્બીજા ની લાગણી, પ્રેમ સમજી શકે. ઍમના મા યૂનિટી હોય ઍક્બીજા ને સપોર્ટ કરે છે.

૨:-ઍક્બીજા ના રીત રીવાજો સમજતા ઍક્બીજા ની વધુ નજીક આવે છે.

૩:-ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ દ્વારા થતા બાળકો ઇંટેલિજેંટ હોય છે ને જેનેટીક પ્રૉબ્લેમ્સ થવા ની શક્યતા નહીવત હોય છે.

૪:-ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ ઍ સમાજની મેન્ટાલિટી ચેંજ કરી છે.

     જો પ્રેમ,અંડરસ્ટૅંડિંગ,મેચ્યોરિટી હોય તો ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ કરી શકાય.

 Disadvantages:

 ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ મા ઘણા બધા પ્રૉબ્લેમ્સ આવે છે.

૧:-જુદી કાસ્ટ હોવાથી ક્યારેક મારી કાસ્ટ સુપિરીયર છે ઍવી ફીલિંગ આવે

૨:-રિલિજીયન અને રીત રીવાજો માટે મતભેદ થવાની શક્યતા છે.

૩:-બાળકો ના જન્મ પછી નામકરણ,સ્કૂલ માં રિલિજીયન વિષે લખાવવા થી લઈ ને કઇ કાસ્ટ મા મૅરેજ કરાવવા, ત્યાં સુધી ના મતભેદ થવાની શક્યતા છે.

૪:-ફૅમિલી, ફ્રેંડ્સ,રિલેટિવ ના ઇંટરફિયરન્સ થવાની શક્યતા છે જો એ લોકો લોઅર કાસ્ટ ના હોય તો એ લોકો કાસ્ટિજ઼મ ને મહત્વ આપી ને અણગમતો વ્યવહાર કરે છે.

૫:-જો પાર્ટનર વીક હોય તો, અને ફૅમિલી નો સપોર્ટ ના હોય તો પોતે જ તૂટી જાય છે. અને પાર્ટનર ને દુખી કરે છે.

૬:- ફૅમિલી મેમ્બર્સ ને સમાજ નૉ ભય  રહે તો પણ સપોર્ટ નથી આપતા. ઍવા કેસ માં પણ મજબૂત રહેવુ અઘરું બને છે.

૭:-હાયર – લોઅર ક્લાસ ના પાર્ટનર પણ ઍક્બીજા ની લાઇફ સ્ટાઇલ,ફૅમિલી વૅલ્યૂઝ ની સાથે એડજસ્ટ કરી શકતા નથી.

 હજુ તો ઘણું લખી શકાય પણ—

 સાર ઍટલો જ કે ઇંટર કાસ્ટ / ઇંટર રિલિજીયન મૅરેજ — લવ મૅરેજ કે અરેંજ મૅરેજ લગ્ન જીવન સારી રીતે જાય એ માટે સોનેરી સુત્ર છે

 પ્રેમ,વિશ્વાસ, સમજદારી  અને મેચ્યોરિટી.

જલ્દી મળિશુ નવા વિષય સાથે–

ચાંદની દલાલ

મૅરેજ કન્સલ્ટન્ટ.

પ્રી મેરીટલ કાઉન્સેલિંગ

“શ્રી નાથજી સત્ય છે”

પ્રી મેરીટલ કાઉન્સેલિંગ

12998585_1088697671188333_5959078783436489096_n

લગ્ન દરેક માટે યાદગાર હોય છે_સાથે ઘણીબધી યાદો જોડાયેલી હોય છે-ખાટી મીઠી,આનંદ ની પળો. આ યાદો આખી જિંદગી આનંદ આપે અને તમને તમારી ચોઇસ પર ગર્વ થાય. આના માટે પેહલા થી જ પ્રિકોશન લેવા જરુરી છે. તમને કોઈ ગાઇડ કરે કે મોનિટર કરે જેનાથી તમે ઍક્બીજા ને સમજી શકો,ઓળખી શકો,જેમના ગાઇડન્સ થી તમે જીવનસાથી થી વધુ ઍક સારા મિત્ર પણ બની શકો. આ ગાઇડ ઍટલે

 ” શ્વાસની જેમ સતત સાથે રેહતા સંબંધોને વધારે મજબૂત બનાવવામા મદદ કરે ઍવા સ્વજન, ઍટલે પ્રી મેરીટલ કાઉન્સીલર.

આ સ્વજન — પ્રી મેરીટલ કાઉન્સીલરના ગાઇડેન્સ હેઠળ તમે ઘણા બધા લાભ લઇ શકો.

૧. તમારામા રહેલા અનરીયાલીસ્ટીક અને મેસી વિચારો ને કાઢી શકે.

૨. કોઈ પ્રોબ્લેમ કે કોઈ ઇશ્યૂ હોય એને સૉલ્વ કરવામા પોઝીટીવ પોટેન્શિયલ થી મદદ કરે

૩. મેરેજ લાઇફ ના જુદા જુદા ફેસીસ પર ચર્ચા કરે-તમારા પ્રૉબ્લમ્સ, ચિંતા, વિકનેસ પર ગાઇડન્સ માંગી શકો.

૪. લગ્ન જીવનમાં ખુશી પૂર્વક, સ્ટ્રેસ વગર, પ્રેમ પૂર્વક રેહવાની ટીપ્સ મળી શકે.

૫. પર્સનલ પ્રૉબ્લેમ્સ પર ચર્ચા કરી ની સૉલ્વ કરવામા મદદ મેળવી શકો.

૬. લગ્ન જીવન શરૂ થતાં, બંધાતા દરેક નવા સંબંધોને સાચવવાની, સમજવાની ટીપ્સ મેળવી શકો.

       આ પ્રી મેરીટલ કાઉન્સીલર બધી વાતો કોન્ફીડેન્શિયલ રાખતા હાય છે

આજકાલ પ્રી મેરીટલ કાઉન્સીલર જરૂરી છે, તેનું રીઝન છે આજકાલ થતા લગ્ન વિચ્છેદ-ડાયવોર્સ.

વિવાહ મેરેજ બ્યૂરો દ્વારા સંચાલિત

સ્વજન વિભાગ માં આપને મળી શકશે પ્રી મેરીટલ કાઉન્સીલર  નો લાભ.

સંપર્ક ફક્ત અપોઈન્મેન્ટ થી -૯૯૨૫૦૧૮૭૦૬

મિત્રો જલ્દી મળીશુ નવા વિષય સાથે

ચાંદની દલાલ.